Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં એકજ પરિવારનાં ત્રણ વ્યક્તિઓની હત્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી

રાજકોટમાં એકજ પરિવારનાં ત્રણ વ્યક્તિઓની હત્યાની ઘટનાથી અરેરાટી વ્યાપી
X

રાજકોટમાં એક જ પરિવારનાં ત્રણ ત્રણ વ્યક્તિઓની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

રાજકોટ શહેરનાં મોરબી રોડ પર આવેલ રાધા મીરા પાર્કનાં એક મકાન માંથી પોલીસને ત્રણ લાશ મળી આવી હતી. કોહવાયેલ હાલતમાં મળી આવેલ લાશ અને મૃતદેહની પાસે થી મળી આવેલ સ્યુસાઇડ નોટનાં આધારે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે પ્રાથમિક તબક્કે ઘરનાં પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કરવાનું નક્કી કર્યું હોવાનું અનુમાન લગાવ્યુ હતુ.

જોકે પોલીસને ઘટના સ્થળે થી માત્ર ત્રણ જ લાશ મળી આવી હતી. ત્યારે સવાલ એ ઉભો થયો હતો કે આખરે સ્યુસાઇડ નોટમાં આપઘાત કરવાની વાત કરનાર પિતા પુત્ર આખરે ક્યાં છે ?

પોલીસે તાત્કાલિક પિતા પુત્રની શોધખોળ શરૂ કરતાં જ પિતા પુત્ર પોલીસનાં હાથે ઝડપાય ગયા હતા.

પોલીસ દ્વારા પિતા જીતેન્દ્ર અને પુત્ર અશ્વિન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે અને પોલીસ પૂછપરછમાં પિતા પુત્રએ પોલીસને જણાવ્યું હતુ કે તેઓ આર્થિક સંકડામણ ભોગવતા હતા. જેને લઈ આ પ્રકારનું પગલુ તેઓએ ભર્યુ હતુ. તેમણે બંને સ્ત્રીઓ તેમજ બાળકને ગળા ટૂંપો દઈ મારી નાખ્યા હતા. બાદમાં બંને પિતા પુત્રએ ચાર વખત આપઘાતનાં પ્રયાસ કર્યા હતા. જેમાં તેઓ નિષ્ફળ નિવડ્યા હતા.

Next Story