રાજ્ય સરકારે પાટીદાર યુવાનો સામેનાં કેસ કર્યા બંધ
BY Connect Gujarat17 Oct 2017 1:57 PM GMT
X
Connect Gujarat17 Oct 2017 1:57 PM GMT
રાજ્યમાં પાટીદાર આંદોલન બાદ વણસેલી પરિસ્થિતિ અને પાટીદાર યુવાનો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે આખરે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંકયુક્ત રીતે પાટીદાર યુવાનો સામેનાં કેસ અંગે નિર્ણય લીધો છે. જેમાં પાટીદાર યુવાનો સામેનાં કેસોમાં આગામી કોઈ પણ કાર્યવાહી ન કરવાનો નિર્ણય કરાયો છે.
જાણવા મળ્યા મુજબ પાટીદાર આંદોલન સંદર્ભે પાટીદાર સમાજનાં અગ્રણીઓ સાથે યોજાયેલ બેઠકમાં તમામ કેસો પરત ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. અને વધુ 223 કેસો મળીને અત્યાર સુધીમાં 468 કેસો બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
Next Story