Connect Gujarat
ગુજરાત

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોઈની માફી માંગી નથી, મંત્રી જશાભાઈ બારડ

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોઈની માફી માંગી નથી, મંત્રી જશાભાઈ બારડ
X

રાજપુત સમાજનાં આગેવાન દાનસંગ મોરી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વચ્ચેનાં અણબનાવો સામે આવ્યા હતા. જેને લઈને રાજપુતો દ્વારા આંદલોન પણ ચલાવવામાં આવ્યુ હતુ. જેનો સુખદ અંત ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં ઘરે આવ્યો હતો.

દાનસંગભાઈ મોરી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ રાજ્ય મંત્રી જશાભાઈ બારડ સહિતનાં નેતાઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં બંને પક્ષો વચ્ચે સમાધાન સધાયુ હોવાની વાત સામે આવી હતી.

આ સમગ્ર મામલે રાજ્ય મંત્રી અને રાજપુત સમાજનાં આગેવાન જશાભાઈ બારડ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ રાજપૂત સમાજનાં આગેવાન અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે થયેલી મુલાકાત અંગેની માહિતી આપી હતી, અને રાજપૂત સમાજ અને ભાજપ વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. વધુમાં અને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ આ બેઠકમાં કોઈ જ માફી માંગી ન હોવાનું પણ જણાવ્યુ હતુ.

Next Story