દિપીકા પદુકોણ હવે હળવો વિષય ધરાવતી ફિલ્મ કરવાના મૂડમાં
BY Connect Gujarat20 Nov 2017 7:24 AM GMT
X
Connect Gujarat20 Nov 2017 7:24 AM GMT
દીપિકા પદુકોણની સંજય લીલા ભણશાલીની આવનારી ફિલ્મ 'પદમાવતી ભારીભરખમ કથા ધરાવતી ફિલ્મ છે. આ ઉપરાંત આ ફિલ્મનો વિવાદ એટલો વકર્યો છે કે દિપીકાની માનસિક તાણ વધી ગઇ છે. તેથી તેણે હવે હળવી ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે.
દિપીકાએ જણાવ્યુ હતુ કે આવી ઇન્ટેસ ફિલ્મો કરવાને બદલે હવે મને લાગે છે કે, હળવી ફિલ્મ કરવાનો સમય આવી ગયો છે. હવે હું લાઇટ હાર્ટેડ ફિલ્મની સ્ક્રિપ્ટની જ માંગણી કરવાની છું. સંજય લીલા ભણશાલીની ફિલ્મ રીલિઝ ન થાય ત્યાં સુધી મને માનસિક તાણ રહે છે કે મારી ફિલ્મ કેવી બની હશે તેમ જણાવ્યુ હતુ.
Next Story