એર ઇન્ડિયાનાં નવા CMD તરીકે IAS પ્રદીપસિંહ ખરોલાની નિમણુંક
BY Connect Gujarat29 Nov 2017 5:38 AM GMT
X
Connect Gujarat29 Nov 2017 5:38 AM GMT
એર ઇન્ડિયાનાં નવા CMD તરીકે IAS પ્રદીપસિંહ ખરોલાની નિમણુંક કરવામાં આવી છે. ગયા સપ્તાહે જ તેમને એક્સટેંશન આપવામાં આવ્યુ હતુ
1985 બેચના કર્ણાટક કેડરના અધિકારી IAS ખરોલા એવા સમયે સત્તાના સૂત્રો સંભાળી રહ્યા છે કે જ્યારે સરકારે એર ઇન્ડિયા માંથી ડિસઇન્વેસ્ટમેન્ટની શરૃઆત કરી દીધી છે. અગાઉ ફેબુ્રઆરી 2015 સુધીમાં તેઓ બેંગલુરૃ મેટ્રોે રેલ કોર્પો.ના મેનેજીંગ ડિરેકટર હતા. અન્ય કામો ઉપરાંત ખરોલાએ કર્ણાટક અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવેલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પો. સહિત તે રાજ્યમાં અનેક હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. તેઓ કર્ણાટકના મુખ્ય મંત્રીના અગ્ર સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા હતા.
Next Story