ઓખી વાવાઝોડાને પગલે ઘોઘા દહેજ રો રો ફેરીને 6 ડિસેમ્બર સુધી કરાઈ બંધ
BY Connect Gujarat4 Dec 2017 9:09 AM GMT
X
Connect Gujarat4 Dec 2017 9:09 AM GMT
દક્ષિણનાં રાજ્યો બાદ ઓખી વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ વર્તાય રહી છે.અને સમગ્ર રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
‘ઓખી’ વાવાઝોડાની અસર થી ગુજરાતનાં દરિયાઈ પટ્ટા પર સાવચેતીનાં ભાગ રૂપે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત ભાવનગર અને ભરૂચનાં દહેજ વચ્ચે શરુ થયેલી ઘોઘા રો - રો ફેરીને પણ તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ 6 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યુ છે.
Next Story