Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર

અંકલેશ્વરમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર
X

અંકલેશ્વર જીઆઇડીસીમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

સ્મૃતિ ઈરાનીએ ગુજરાતમાં વિકાસ થયો પરંતુ રાહુલને વિકાસ દેખાયો નહિ તેવું કહેતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે 2014ની લોકસભાની ચૂંટણીમાં અમેઠીમાં એક દાદા પોતાના પૌત્રને ભાજપ કાર્યાલય દેખાડવા લાવ્યા ત્યારે તેમને પૂછ્યું કે કેમ આવ્યા. ત્યારે તેમણે જૂના સ્મરણો વાગોળ્યા કે નહેરૂ, ઇન્દિરા, રાજીવ સુધીના તમામ વડાપ્રધાન આવ્યા છતાં અમેઠીમાં ટ્રેન ન આવી, છેવટે રાહુલ આવ્યા છતાં ટ્રેન નહિ આવી. 4 પેઢી વિતી ગઇ પરંતુ ટ્રેન મળી નથી. તેમ જણાવીને તેમણે રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Next Story