Connect Gujarat
ગુજરાત

વિકાસ ગાંડો થયો છે અને ભાજપ વાળા રઘવાયા થયા છે , અહમદ પટેલ

વિકાસ ગાંડો થયો છે અને ભાજપ વાળા રઘવાયા થયા છે , અહમદ પટેલ
X

પાલેજ ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી સભા યોજવામાં આવી હતી, જેમાં રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલ તેમજ રાષ્ટ્રીય યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જનસભાને સંબોધન કર્યુ હતુ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટેનાં પ્રચારનાં અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા જિલ્લાનાં પાલેજ ખાતે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો.જેમાં રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલ, કોંગ્રેસનાં યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતનાં કોંગ્રેસનાં નેતાઓ, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જનસભાને સંબોઘીને તેઓએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને જણાવ્યુ હતુ કે ગુજરાતની પ્રગતિ પાછળ માત્ર કોઈ એક વ્યક્તિનો પરિશ્રમ નથી પરંતુ રાજ્યની તમામ જનતાનાં પરિશ્રમને તેનો શ્રેય જાય છે.

https://youtu.be/-Cgp9XUN1Fg

જ્યારે રાજ્યસભાનાં સાંસદ અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા અહમદ પટેલે જનસભામાં શાયરના અંદાજમાં પોતાનું વક્તવ્ય શરુ કર્યુ હતુ,અને તેઓએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. અને નરેન્દ્ર મોદીને પણ તેઓએ આંતરરાષ્ટ્રીય કલાકાર ગણાવ્યા હતા.તેમજ વિકાસ ગાંડો થયો છે અને ભાજપવાળા રઘવાયા થયા હોવાનું જણાવીને લોકોએ નિર્ણય કર્યો છે કે ભાજપની સરકાર જાય છે.

અહમદ પટેલે જનસભામાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે રાજ્યમાં લોકોનો કોંગ્રેસેને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતુ ,અને તેઓ ક્યારેય મુખ્યમંત્રીનાં દાવેદાર નહોતા અને ક્યારે પણ તેઓએ મુખ્યમંત્રીની મહત્વકાંક્ષા રાખી નથી.

Next Story