પાનોલીની અભિષેક કેમિકલમાં આગ થી નાશભાગ મચી
BY Connect Gujarat10 Dec 2017 8:38 AM GMT
X
Connect Gujarat10 Dec 2017 8:38 AM GMT
પાનોલી ઔદ્યોગિક વસાહત ખાતેની અભિષેક કેમિકલમાં કોઈક કારણોસર આગનો બનાવ બનતા કંપની સંકુલમાં નાશભાગ મચી ગઈ હતી.
પાનોલી ઉદ્યોગ નગરીમાં આવેલ અભિષેક કેમિકલમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આગનો બનાવ બન્યો હતો,જેના કારણે કંપની સંકુલમાં નાશભાગ મચી ગઈ હતી, અને ઘટના અંગેની જાણ પાનોલી નોટીફાઈડ એરિયાનાં ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.જોકે ઘટનામાં કોઇ જાનહાનિ પહોંચી નહતી, પરંતુ આગથી કંપનીમાં મોટી નુકશાનીનો અંદાજ લગાવાય રહ્યો છે. આ ઉપરાંત અભિષેક કેમિકલની પાછળનાં ભાગમાં આવેલ વિનાયક કેમિકલમાં પણ આગ થી નુકશાન પહોંચ્યુ હોવાનું જાણવા મળ્યું છે.
Next Story