રાજસ્થાની લેખકની કહાની પર બનશે વધુ એક પદ્માવતી
BY Connect Gujarat15 Dec 2017 5:24 AM GMT
X
Connect Gujarat15 Dec 2017 5:24 AM GMT
સંજય લીલા ભણસાલી ડ્રીમ પ્રોજેક્ટ પદ્માવતીને હજુ પણ લીલી ઝંડી મળી નથી. કરણી સેનાની ધમકીઓ બાદ ફિલ્મથી જોડાયેલા લોકો તેની પર ટિપ્પણી કરવાથી બચી રહ્યા છે. આ વચ્ચે પ્રોડ્યુસર અશોક શેખરે રાણી પદ્મિની પર ‘મેં હું પદ્માવતી’ ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે.
રિપોર્ટસ અનુસાર રાજસ્થાનથી સંબંધ રાખનાર એક લેખકે ફિલ્મની કહાની લખી છે. ફિલ્મમાં મેં હું પદ્માવતીને બનાવનાર મેકર્સે કહ્યુ છે કે અમે ફિલ્મ બનાવતા સમયે આ વાતનું ધ્યાન રાખીશું કે કોઇની ભાવનાઓને દુ:ખ નહીં પહોંચે.અમારી ફિલ્મ માટે અમે ભંસાલીની પદ્માવતી જેવા વિરોધ નહી થવા દઇએ.
Next Story