Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં બ્રેઈન સ્ટ્રોકની આધુનિક સારવાર સ્ટેમ સેલ અંગેની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ

ભરૂચમાં બ્રેઈન સ્ટ્રોકની આધુનિક સારવાર સ્ટેમ સેલ અંગેની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ
X

ભરૂચ જુના ને.હા.નં 8 રેલવે સ્ટેશન પાસે આવેલ હોટલ પ્લાઝા ખાતે બ્રેઈન સ્ટ્રોકની આધુનિક સારવાર સ્ટેમ સેલ અંગેની માહિતી આપવા માટે મુંબઈની ન્યુરોજન બ્રેઈન એન્ડ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

આ પ્રસંગે મુંબઈની ન્યુરોજન બ્રેઈન એન્ડ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટનાં ડિરેક્ટર ડો.આલોક શર્મા અને ડેપ્યુટી ડિરેક્ટર ડો.નંદીની ગોકુલચંદ્રને સ્ટેમ સેલ સારવાર પધ્ધતિ અંગે માહિતી આપી હતી.

આ ઉપરાંત બ્રેઈન સ્ટ્રોકની બીમારી થી પીડાતી ભરૂચની શિક્ષિકા નીલમ ભરૂચવાલાએ સ્ટેમ સેલ થેરાપી થી નવજીવન મળતા તેઓએ સારવાર અંગેના પોતાનાં અનુભવો શેર કર્યા હતા.

Next Story