Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરની સાંઈ શ્રધ્ધા રેસિડન્સીમાં રૂપિયા 1.65 લાખનાં મુદ્દામાલની ચોરીથી ચકચાર

અંકલેશ્વરની સાંઈ શ્રધ્ધા રેસિડન્સીમાં રૂપિયા 1.65 લાખનાં મુદ્દામાલની ચોરીથી ચકચાર
X

અંકલેશ્વર કાપોદ્રા પાટીયા નજીકમાં આવેલ સાંઈ શ્રધ્ધા રેસિડન્સીનાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ, અને સોનાનાં દાગીનાં તેમજ રોકડ મળીને કુલ રૂપિયા 1.65 લાખનાં મુદ્દામાલ ચોરીને ચોર ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર કાપોદ્રા પાટીયા પાસે આવેલ સાંઈ શ્રધ્ધા રેસિડન્સીનાં મકાન નંબર A / 39માં રહેતા સંજય હિરામણી તિવારીનાં ઓ તારીખ 17મી એ પોતાનાં મૂળ વતન મધ્યપ્રદેશ ખાતે ગયા હતા,અને તેમની પત્ની પુષ્પાબેન તિવારી સુરત ખાતે હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા,જોકે પુષ્પાબેન ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેમના પતિ સંજયભાઈ તિવારી પણ મધ્યપ્રદેશ થી સુરત ખાતે ગયા હતા.

જોકે તારીખ 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન તેમનું ઘર બંધ રહેતા તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ,અને ઘરનાં મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશી તિજોરીમાં રાખેલા સોનાનું મંગળસુત્ર,વીંટી,કાનનાં ઝૂમર ,કાનની બુટી મળીને રૂપિયા 1.25 લાખનાં દાગીનાં તેમજ રૂપિયા 40000 રોકડા મળીને કુલ રૂપિયા 1.65 લાખની ચોરી કરીને તસ્કરો પલાયન થઇ ગયા હતા.

તારીખ 19મી ફેબ્રુઆરીનાં રોજ સંજય તિવારી પત્ની સાથે સુરત થી ઘરે પરત ફરતા ચોરી અંગેની જાણ થઇ હતી,અને તેઓએ આ અંગે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જીઆઇડીસી પોલીસે સંજય તિવારીની ફરિયાદનાં આધારે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story