Connect Gujarat
Featured

કોવિડ-19 : ગુજરાતમાં આજે 323 નવા કેસ નોધાયા,441 લોકોને ડિસ્ચાર્જ કરાયા

કોવિડ-19 : ગુજરાતમાં આજે 323 નવા કેસ નોધાયા,441 લોકોને ડિસ્ચાર્જ કરાયા
X

ગુજરાત રાજ્યમાં આજે 323 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને 2 વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.99 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 2,61,224 પર પહોંચી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 441 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,53, 368 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3469 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3428 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4387 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 323 નવા નોધાયેલ કેસ પૈકી વડોદરા કોર્પોરેશનમાં 65,અમદાવાદ કોર્પોરેશનમાં 63, સુરત કોર્પોરેશનમાં 42, રાજકોટ કોર્પોરેશનમાં 36, વડોદરામાં 13, આણંદ-10,કચ્છ-8 , રાજકોટ 8, ભરૂચ 7, પંચમહાલ 7, ભાવનગર કોર્પોરેશન,મહેસાણા અને મોરબીમાં 5-5 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં અત્યાર સુધી 2,45, 930 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી. આવતીકાલથી કોરોના રસીકરણના બીજા તબક્કાનો શુભઆરંભ થશે.

Next Story