Connect Gujarat
Featured

રાજ્યમાં આજે કોરોનાના 410 નવા કેસ નોધાયા, 704 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે કોરોનાના 410 નવા કેસ નોધાયા, 704 દર્દીઓ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોના વાયરસના માત્ર 410 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને માત્ર એક જ વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં છેલ્લા આજે 704 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,50,056 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4665 એક્ટિવ કેસ છે, જેમાંથી 48 લોકો વેન્ટિલેટર પર અને 4617 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4376 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 410 નવા નોધાયેલ કેસ પૈકી આજે અમદાવાદ કોર્પોરેશનમાં 89, સુરત કોર્પોરેશનમાં 69, વડોદરા કોર્પોરેશનમાં 65, રાજકોટ કોર્પોરેશનમાં 45, વડોદરામાં 21, સુરતમાં 16, રાજકોટમાં 14, કચ્છમાં 10, ભરૂચ અને જુનાગઢ કોર્પોરેશનમાં 7-7, દાહોદમાં 6, ગાંધીનગરમાં 5, ગાંધીનગર કોર્પોરેશન-જુનાગઢ-પંચમહાલ-સાબરકાંઠામાં 4-4 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે મહિસાગરમાં એક વ્યક્તિનું મોત થયું હતું. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 96.51 ટકા છે.


Next Story