Connect Gujarat
ગુજરાત

50 પ્રવાસીઓને લઇ સોમનાથ જતી બસને નડ્યો અકસ્માત

50 પ્રવાસીઓને લઇ સોમનાથ જતી બસને નડ્યો અકસ્માત
X

50 થી વધુ મુસાફર લઇ કલોલ થી સોમનાથ જતી ટ્રાવેલ્સ બસને કોડીનાર ઉના હાઇવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સૂત્રોની માનીયે તો બે ટ્રક અને ટ્રાવેલ્સ બસ ધડાકા ભેર અથડાતા બસ માં સવાર પ્રવાસીયો ના જીવ તાળવે ચોંટ્યા હતા પરંતુ કોઈપણ પ્રવાસી ને ઇજા થઇ ન હતી. સ્થાનિક રહીશોની મદદ થી પ્રવાસીયોને અકસ્માત બાદ યોગ્ય સહાયે પૂરીપાડવામાં આવી હતી.

Next Story