Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 987 નવા કેસ નોધાયા,1083 દર્દીઑ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 987 નવા કેસ નોધાયા,1083 દર્દીઑ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 987 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 4 દર્દીઑના મોત થયા છે. જ્યારે 1083 દર્દી ઑ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,71,040 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3708 થયો છે. રાજ્યમાં હાલ 13,254 એક્ટિવ કેસ છે, જ્યારે 1,54,078 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,193 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 987 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 162, અમદાવાદ કોર્પોરેશનમાં 159, વડોદરા કોર્પોરેશનમાં 79, રાજકોટ કોર્પોરેશનમાં 57, સુરત 51, રાજકોટ 39, વડોદરામાં 38, મહેસાણામાં 33, બનાસકાંઠામાં 28, નર્મદા 27, કચ્છ 21, પાટણ 21, સાબરકાંઠા 20, જામનગર કોર્પોરેશન 18, સુરેન્દ્રનગર 18, ગાંધીનગર 17, ગાંધીનગર કોર્પોરેશન 17, અમરેલી 15, ગીર સોમનાથ 15, જુનાગઢ 13, પંચમહાલ 13, અમદાવાદ 12, ભાવનગર કોર્પોરેશન 12, ખેડા 12 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 4 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 મોત થયા છે.


રાજ્યમાં આજે કુલ 1083 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં આજે 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 59,50,616 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.08 ટકા છે.

Next Story