Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 681 નવા પોઝીટીવ કેસ નોંધાયા,19 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 681 નવા પોઝીટીવ કેસ નોંધાયા,19 દર્દીઓના મોત
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 681 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. આજે 563 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33,999 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1888 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24601 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે 563 નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 211, સુરતમાં 227, વડોદરામાં 57 , રાજકોટ 26, બનાસકાંઠા-12, સુરેન્દ્રનગર 12, ભાવનગરમાં 14, જામનગરમાં 11, ભરૂચ 10, પાટણ 10, જુનાગઢમા-17,મહેસાણામાં -9, વલસાડમાં-8, અમરેલીમાં -7, ગાંધીનગરમાં-7, કચ્છમા- 5, ખેડા-5, અરવલ્લી, પંચમહાલ, નવસારીમાં ચાર- ચાર કેસ, આણંદ, સાબરકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને મોરબીમાં ત્રણ -ત્રણ કેસ, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપીમાં એક-એક કેસ છે.

રાજ્ય છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોવિડ 19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 3, વડોદરામાં 2, જુનાગઢ, સુરત, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1888 લોકોનાં કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24601 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 7510 એક્ટિવ કેસ છે, જેમાંથી 68 વેલ્ટીલેટર પર છે અને 7442 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,88,065 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Next Story