ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 423 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 1 દર્દીના મોત થયું છે. અને સાથે કુલ મૃત્યુઆંક 4375 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 4960 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,49,352 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 50 દર્દી વેન્ટીલેટર પર છે અને 4910 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં આજે 423 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 81, સુરત કોર્પોરેશનમાં 75, વડોદરા કોર્પોરેશનમાં 65, રાજકોટ કોર્પોરેશનમાં 46, વડોદરા 22, સુરત 17, કચ્છ 11, રાજકોટ-13, ભાવનગર કોર્પોરેશન -7, જુનાગઢ કોર્પોરેશન-7, ગાંધીનગર, ખેડા અને મેહસાણામાં 6-6 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કુલ 702 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.39 ટકા છે.
રાજ્યમાં આજે 31,116 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 78,319 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે