Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર-પાનોલી વચ્ચે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલાનું મોત

અંકલેશ્વર-પાનોલી વચ્ચે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલાનું મોત
X

અંકલેશ્વર નજીક

આવેલ નવજીવન હોટલ પાસે સાબાન ચૌધરીના ભંગારના ગોડાઉનમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની

રહેવાશી 32 વર્ષીય નિનીયા બેન ભીલ ગઇકાલે તારીખ 23 ડિસેમ્બરના રોજ ગોડાઉનના પાછળ

આવેલ રેલ્વે લાઇનના પાટા ક્રોસ કરતી હતી. આ દરમ્યાન સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન પૂરપાટ ઝડપે આવતા મહિલાને ટક્કર વાગતા મહિલા ફંગોળાઇ

હતી. આ દરમ્યાન મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેણીનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું

હતું.

આ ઘટનાની જાણ

પરિવાર જનોને થતાં તેણીનો પરિવાર ઘટના સ્થળે ધસી આવ્યો હતો. અને શહેર પોલીસને જાણ

કરતાં પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. નિનીયા બેન ભીલના મૃતદેહને પી.એમ અર્થે

ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story