અંકલેશ્વર-પાનોલી વચ્ચે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલાનું મોત
BY Connect Gujarat24 Dec 2019 3:43 AM GMT
X
Connect Gujarat24 Dec 2019 3:43 AM GMT
અંકલેશ્વર નજીક
આવેલ નવજીવન હોટલ પાસે સાબાન ચૌધરીના ભંગારના ગોડાઉનમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની
રહેવાશી 32 વર્ષીય નિનીયા બેન ભીલ ગઇકાલે તારીખ 23 ડિસેમ્બરના રોજ ગોડાઉનના પાછળ
આવેલ રેલ્વે લાઇનના પાટા ક્રોસ કરતી હતી. આ દરમ્યાન સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન પૂરપાટ ઝડપે આવતા મહિલાને ટક્કર વાગતા મહિલા ફંગોળાઇ
હતી. આ દરમ્યાન મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેણીનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું
હતું.
આ ઘટનાની જાણ
પરિવાર જનોને થતાં તેણીનો પરિવાર ઘટના સ્થળે ધસી આવ્યો હતો. અને શહેર પોલીસને જાણ
કરતાં પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. નિનીયા બેન ભીલના મૃતદેહને પી.એમ અર્થે
ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Next Story