Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : કાંકરિયા બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટી, 3નાં મોત, 31 લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદ : કાંકરિયા બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટી, 3નાં મોત, 31 લોકો ઇજાગ્રસ્ત
X

અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફસાયેલાને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Next Story