Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: નાગરિકતા સુધારા કાનૂનના વિરોધમાં શહેર બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ: નાગરિકતા સુધારા કાનૂનના વિરોધમાં શહેર બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
X

અમદાવાદમાં નાગરિકત્વ બિલના વિરોધમાં 3 મુફ્તી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ નેતાઓના નામે ગુરુવારે પ્રતિબંધ જાહેર કરાયો હતો. બંધની જાહેરાત બાદ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે, શહેરના લલદરવાજા પાસેના ઐતિહાસિક ઢાલગરવાડ કપડા બજાર, જમાલપુર અને જુહાપુરા સવારથી સંપૂર્ણ રીતે બંધ રાખવામા આવ્યું છે.

નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમાં ઢાલગરવાડ બજાર 19-12-2019ના રોજ બંધ રહેશે તેવા બજારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. NSUI ના કાર્યકરોની સી.યુ.શાહ કોલેજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. હાલમાં, સમગ્ર વિસ્તારમાં સઘન સુરક્ષા બંદોબસ્ત તૈનાત આરી દેવામાં આવ્યો છે.

Next Story