Connect Gujarat
Featured

અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલમાં કોવેક્સિનનું પરીક્ષણ, જુઓ ડૉ. પારુલ ભટ્ટની “કનેક્ટ ગુજરાત” સાથે ખાસ વાતચીત

અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલમાં કોવેક્સિનનું પરીક્ષણ, જુઓ ડૉ. પારુલ ભટ્ટની “કનેક્ટ ગુજરાત” સાથે ખાસ વાતચીત
X

છેલ્લા એક વીકથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેક્સિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 1000 જેટલા લોકો પર આ પરીક્ષણ કરવામાં આવશે, ત્યારે હાલ રોજના 50થી વધુ લોકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે 100થી વધુ લોકોની ફોન પર ઈન્કવાયરી પણ કરવામાં આવે છે. વધુમાં વધુ લોકો આ પરીક્ષણ કરાવવા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવે તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે. આગામી એક વર્ષ સુધી આ કોવેક્સિનનું પરીક્ષણ કરવામાં આવશે. જોકે હાલ આ પરીક્ષણમાં સફળતા મળતી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ડૉ. પારુલ ભટ્ટ સાથે કનેક્ટ ગુજરાતની ટીમે ખાસ વાતચીત કરી હતી. ડૉ. પારુલ ભટ્ટે જણાવ્યુ હતું કે. હાલમાં આ પરીક્ષણ હેલ્ધી અને એજ્યુકેટેડ લોકો ઉપર કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ વોલેટિયર્સના ઘરમાં પણ કોઈને કોરોના ન થયો હોય તેવા લોકોને જ આ વેક્સિન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ પરીક્ષણમાં કોઈ પણ વ્યક્તિને આડઅસર થઈ હોવાનું સામે આવ્યું નથી.

Next Story