Connect Gujarat
Featured

અમદાવાદ : ખેડુત આંદોલનને ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યો ટેકો, પ્રદેશ પ્રમુખે બોલાવી તાકીદની બેઠક

અમદાવાદ : ખેડુત આંદોલનને ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યો ટેકો, પ્રદેશ પ્રમુખે બોલાવી તાકીદની બેઠક
X

નવા કૃષિ કાયદાના વિરોધમાં મંગળવારના રોજ અપાયેલા ભારત બંધના એલાનને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. બંધને સફળ બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ તાકીદની બેઠક બોલાવી બંધને સફળ બનાવવાની રણનિતિ ઘડી કાઢી છે..

આવતીકાલે મંગળવારે ભારત બંધ ને કોંગ્રેસે ટેકો આપ્યો છે ત્યારે આજે રાજ્યના પ્રભારી રાજીવ સાતવ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રદેશના હોદેદારો વચ્ચે એક બેઠક થઇ હતી અને આવતીકાલે રાજ્ય વ્યાપી બંધને સફળ બનાવવા માટે રણનિતિ ઘડી કાઢવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જિલ્લા મથક થી લઇ તાલુકા મથકે કોંગ્રેસ દેખાવ કરશે અને બંધ ને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવશે ઉપરાંત રાજ્યની સરહદો પર કોંગ્રેસ પ્રદર્શન કરશે બેઠકમાં કોંગ્રેસના કાર્યકરો ને તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી છે.

Next Story