અમદાવાદ : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે દિવસ રહેશે બંધ, વાંચો શું છે કારણ
BY Connect Gujarat13 Jan 2020 10:32 AM GMT
X
Connect Gujarat13 Jan 2020 10:32 AM GMT
અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે ચાલી રહેલાં પતંગ
મહોત્સવને બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે. ઓમાનના સુલતાનના નિધન બાદ ભારત
દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો હોવાથી સરકારી કાર્યક્રમો અને આયોજનો રદ કરી
દેવાયાં છે.
ઓમાનના સુલતાન કાબુસ બીન સઇદ અલ સઇદનું શુક્રવારના
રોજ નિધન થયું હતું . તેમના નિધનના પગલે ભારત સરકારે સોમવારના રોજ રાષ્ટ્રીય શોક જાહેર
કર્યો છે.જેને અનુલક્ષીને સમગ્ર ભારતમાં આવેલી સરકારી કચેરીઓ તથા સંસ્થાઓ ખાતે
રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. સરકારી કાર્યક્રમો અને આયોજનો રદ
કરી દેવાના હોવાથી અમદાવાદના રીવર ફ્રન્ટ ખાતે ચાલી રહેલાં કાઇટ ફેસ્ટીવલને પણ બંધ
રાખવાનો નિર્ણય લેવાયો છે. સોમવાર અને મંગળવારના રોજ કાઇટ ફેસ્ટીવલ બંધ રાખવામાં
આવશે.
Next Story