Connect Gujarat
સમાચાર

અમદાવાદ : રાણીપ વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉન, એક જ સપ્તાહમાં 6 નાં મોત

અમદાવાદ : રાણીપ વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉન, એક જ સપ્તાહમાં 6 નાં મોત
X

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.જ્યારે લોકડાઉન હતું ત્યારે આ વિસ્તારમાં નહિવત કેસ હતા પણ અનલોકની પ્રકિયા બાદ અહીં કેસ વધતા ફફડાટ વધ્યો છે અને સ્વંયમભુ લોકડાઉંન નો નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર એક જ અઠવાડિયમાં આ વિસ્તારમાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભુ લોકડાઉનમાં જોડાઇ છે. જેને લઇને આજ વહેલી સવારથી દુકાનો બંધ જોવા મળી છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં આજથી આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે

આ વિસ્તારમાં સવારે 6 થી 9 સુધી દૂધ અને જીવન જરૂરિયાતની દુકાનો ખુલી રહેશે જ્યારે મેડિકલ સ્ટોર અને દવાખાનાઓને લોકડાઉનમાંથી મુક્તિ આપવામ આવી છે તો નોકરી માટે કે કામ અર્થે બહાર જતા લકો માટે પણ નિયમ બનાવવામાં આવ્યા છે। ..અહીં 50 થી વધુ સોસાયટીઓ અને સ્થાનિકોએ ભેગા મળી આ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કર્યો છે

Next Story