Connect Gujarat
Featured

અમદાવાદ : કાર્ડ ધારકોને સિકકા માટે કહેવામાં આવતાં ઝોનલ ઓફિસે હલ્લાબોલ

અમદાવાદ : કાર્ડ ધારકોને સિકકા માટે કહેવામાં આવતાં ઝોનલ ઓફિસે હલ્લાબોલ
X

રાજયમાં લોક ડાઉનની સ્થિતિમાં ગરીબોને વિનામુલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરાયો છે પણ અમદાવાદમાં કાર્ડધારકોને સિકકા માટે કહેવામાં આવતાં તેમણે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઝોનલ કચેરીએ હલ્લો બોલાવ્યો હતો.

સમગ્ર રાજયમાં આજથી વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે તેમાં અનેક જગ્યાએ ઘર્ષણ અને હોબાળા જોવા મળ્યા છે..જે કાર્ડધારકોના કાર્ડમાં સિકકા નહિ હોવાથી દુકાનધારકોએ તેમને સિકકા મરાવી લાવવા માટે પરત મોકલ્યાં હતાં. રોષે ભરાયેલાં કાર્ડધારકો અન્ન અને પુરવઠા વિભાગની ઝોનલ કચેરી ખાતે પહોંચી ગયાં હતાં અને હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસે તેમ લાગતાં પોલીસને બોલાવવામાં આવી હતી. આખરે પોલીસે ટોળાને વિખેરી નાખતા મામલો થાળે પડયો હતો.

Next Story