Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોનામાં જીવ ગુમાવનારના પરિજનોને દિવાળી પર્વે પોલીસે સાંત્વના પાઠવી.

અમદાવાદ : કોરોનામાં જીવ ગુમાવનારના પરિજનોને દિવાળી પર્વે પોલીસે સાંત્વના પાઠવી.
X

અમદાવાદમાં કોરોના કાળ દરમ્યાન જીવ ગુમાવનાર પોલીસકર્મીઓના પરિવારજનોને પોલીસ વિભાગ દ્વારા સાંત્વના પાઠવવામાં આવી હતી. આ અવસરે દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી ભેટસ્વરૂપે મીઠાઇ અર્પણ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં કોરોનામાં જીવ ગુમાવનાર પોલીસકર્મીઓના પરિજનોને ઝોન-5ના ડીસીપી અચલ ત્યાગી, ખોખરા પોલિસ મથકના ઈન્સ્પેકટર વાય.એસ.ગામિત સહિતના પોલિસ કર્મચારીઓએ દિપાવલીના પર્વે પરિજનોના ખબર અંતર પૂછી સાંત્વના પાઠવી હતી. આ અવસરે દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી ભેટસ્વરૂપે મીઠાઇ અર્પણ કરી હતી, ત્યારે એક સમયે ભાવનાત્મક દ્રશ્યો પણ સર્જાયા હતા. ઉપરાંત ઘરના દિકારોને પણ પરિવારના વડીલોની માવજત સાથે સાર-સંભાળ લેવાની તાકીદ કરી હતી. ખોખરા પોલિસના જવાનો તેમજ શી-ટીમ પણ તેઓની સાથે જોડાઈ કોરોનાગ્રસ્ત પરિવારોના બાળકોને ફટાકડા અને મિઠાઈની ભેટ આપી હતી.

Next Story