Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભારતીય કળા-સંસ્કૃતિને વિવિધ રંગો થકી જીવંત રાખવાનો એરપોર્ટનો અનોખો પ્રયાસ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રંગોત્સવ હોળીના તહેવાર મનાવવાનો થનગનાટ ઉડીને આંખે વળગી રહ્યો છે.

અમદાવાદ : ભારતીય કળા-સંસ્કૃતિને વિવિધ રંગો થકી જીવંત રાખવાનો એરપોર્ટનો અનોખો પ્રયાસ
X

હોળીના તહેવાર નિમિત્તે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રંગોત્સવ હોળીના તહેવાર મનાવવાનો થનગનાટ ઉડીને આંખે વળગી રહ્યો છે. મુસાફરોને હોળીના મેઘધનુષી રંગોમાં તરબોળ કરવા એરપોર્ટ પરિસરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને વરલી અને માંડલ જેવી પરંપરાગત કળાના વિવિધ સ્વરૂપોથી માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં વિવિધ કળાને માણવાનો અનુભવ સેલ્ફીમાં પણ કેદ કરી રહ્યા છે. આજના યાંત્રિક જીવનની શુષ્કતામાં ઉત્સાહના રંગો પૂરવા SVPI એરપોર્ટ પર ભારતીય કળાના વૈવિધ્યસભર તાનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું છે. મુસાફરો રંગબેરંગી માહોલમાં મંડલા અને વરલી જેવી પરંપરાગત કળા નો અદભૂત અનુભવ પણ માણી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને ભારતીય કળા-સંસ્કૃતિના અનેકવિધ સ્વરૂપો વિશે જાણકારી આપવાનો છે. મંડલા કળા એક પરંપરાગત ડિઝાઇન પેટર્ન છે, જેમાં દેવી-દેવતાઓ અને બ્રહ્માંડનું નિદર્શન કરવામાં આવે છે. જ્યારે વરલી કળાને ઐતિહાસિક કળાના પ્રાચીન સ્વરૂપોમાંનું એક માનવામાં આવે છે.

એરપોર્ટ પર મુસાફરો આવી અમૂલ્ય કળાઓ વિશે વિનામુલ્યે જાણી માણી અને શીખી પણ શકે છે. એટલું જ નહીં, એરપોર્ટ પરથી પ્રસ્થાન કરતા પહેલા મુસાફરો હાથે બનાવેલ ગુંજીયા અને ઠંડાઈનો સ્વાદ પણ મન ભરીને માણી પણ શકે છે. મુસાફરો તહેવારનો આનંદ પ્રવાસ દરમિયાન પણ અનુભવી શકે તે માટે ટર્મિનલની અંદર અને બહાર રંગબેરંગી લાઇટિંગ સાથેના મોટા સ્થાપના ગોઠવવામાં આવ્યા છે. અહીંની અદભૂત યાદો જીવંત રાખવા પ્રવાસીઓ તેને સેલ્ફી કોર્નરમાં પણ કેદ કરી રહ્યા છે, ત્યારે તહેવારની ઉજવણીમાં આપણી સંસ્કૃતિની સુવાસ જળવાઈ રહે એ મહત્વનું છે, ભારતીય કળા-સંસ્કૃતિના વિવિધ રંગો જીવંત રાખવાનો SVPI એરપોર્ટનો આ પ્રયાસ પ્રસંશનીય છે.

Next Story