કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારાનું પાર્થિવદેહ ચાર્ટડ વિમાનમાં ચેન્નાઇથી અમદાવાદ લવાયો
ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારાનું ચેન્નાઈ ખાતે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમની ઉંમર 69 વર્ષની હતી. આજે મંગળવારે વહેલી સવારે ડૉ. અનિલ જોશીયારાનો નશ્વરદેહ ચેન્નાઈથી ફ્લાટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો.
એરપોર્ટ પર મૃતદેહ આવ્યો ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા હાજર રહ્યા હતા. ડૉ. અનિલ જોશીયારાની અંતિમવિધી તેમના વતન ભિલોડા ખાતે કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી નશ્વરદેહને બાય રોડ ભિલોડા લઈ જવામાં આવશે.
ગઈકાલે બપોરે અનિલ જોષિયારાના નિધન થયું હતું. ત્યાર બાદ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ડૉ. અનિલ જોશીયારા 1995થી સતત ભિલોડા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતના અગ્રણી આદિવાસી નેતાઓમાંના એક હતા.
ગઈકાલે ડૉ. અનિલ જોશીયારાના નિધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમના પરીવારને સાંત્વના પાઠવી હતી.