Connect Gujarat
અમદાવાદ 

રાજ્યના નાગરિકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે સરકાર અને પોલીસ કટીબધ્ધ : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

રાજ્યના નાગરિકોની શાંતિ-સલામતી-સુરક્ષા માટે સરકાર અને પોલીસ કટીબધ્ધ : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
X

ગુજરાતના ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બનાસકાંઠાના રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ વિભાગના ઉચ્ચઅધિકારીઓ, જિલ્લા કલેકટર, પોલીસ વડા અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પોલીસ અધિક્ષકની કચેરી, હિંમતનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પ્રેઝન્ટેશન દ્વારા સમિક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યુ હતું.

આ બેઠકમાં જિલ્લામાં પોલીસ વિભાગના મહેકમ, પ્રોહીબિશન, બાઇકચોરી, મિલકત સંબંધી ગુન્હાઓ, હથિયારબંધી, આંતર રાજયમાંથી આવતા દારૂની હેરાફેરી, ગુનેગારોની ધરપકડ, અટકાયતના પગલાં, પાસા તડીપાર, પેરોલ ફર્લોની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ એકટ, ગુમ આપહરણ, ટ્રાફિક સમસ્યા, ઇડરીયાગઢની આસપાસ ખનિજ ખનન, બાયો-ડિઝલના ગેરકાયદે વેચાણ, કોમોડીટી એકટ એન.ડી.પી. એસના ગુન્હા, રેમડેસીવરના કાળાબજાર, રેશનીંગના અનાજના કાળાબજાર, વેચાણ, જુના વાહનો પોલીસ સ્ટેશનમાં છે તેનો નિકાલ, CCTV વિશ્વાસ-૧ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખાતે ગુન્હાખોરીને ડામવા માટે હિંમતનગર ખાતે ૨૪ સ્થળોએ ૧૩૧ કેમેરા લગાવવામાં આવશે. તેમજ વિશ્વાસ-૨ પ્રોજેકટ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહમામાં ૧૩ સ્થળોએ ૮૧ કેમેરા, ઇડર ખાતે ૧૮ સ્થળોએ ૧૧૩ કેમેરા મુકવામાં આવશે. વિશ્વાસ-૧ અને ૨ મળી કુલ ૫૫ સ્થળોએ ૩૨૫ કેમેરા ગોઠવવામાંઆવશે. અંદાજે ૩૨૯ કરોડના ખર્ચે મુકવામાં આવશે. તથા રૂઢિગત ગ્રામસભા પંચાયત વગેરે બાબતે બેઠકમાં સર્ચા કરાઇ હતી. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તાર ઇડર, હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે તથા વાહન અકસ્માત અંગેના બ્લેક સ્પોર્ટ દૂર કરવા સહીતની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી હતી.

ગુહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલિસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા તથા જુદા-જુદા રોડ પર ક્રાઇમ ડિટેકટ માટે કેમેરા મૂકીને કાયદો વ્યવસ્થા જાળવા માટેના પ્રયાસો પર ભાર મૂકયો હતો. તો સાથે જ ૧૦ હજાર બોડી બોર્ન કેમેરા પોલિસ કર્મી ઉપર લગાડીને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે જેથી પોલિસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ નિવારી શકાય સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે પણ અનેક પગલા લેવામાં આવશે. અને સોલાર રૂફટોપથી પોલીસ મથકોને સજ્જ કરાશે. આમ રાજયના લોકોની સુરક્ષા-સલામતી અને શાંતિ માટે પોલિસ હર હંમેશાં તૈયાર રહેશે. અને ગૃહ વિભાગ કોઇપણ ગુન્હેગારોને છોડાશે નહી કોઇને શેહ સરમ ભરશે નહી. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા અને પ્રાતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, રેન્જ આઇ.જી. અભય સુડાસમા, જિલ્લા કલેકટર હિતેષ કોયા, જિલ્લા પોલિસ વડા નિરજ બડગુજર તેમજ વિભાગીય પોલિસ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. પ્રેઝટેશન મારફત સાબરકાંઠા જિલલામાં થયેલ કામગીરીને મંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.

Next Story