Connect Gujarat
ગુજરાત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમાલપુરના ભગવાન જગદીશના મંદિરે જઈ મંગળા આરતી કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમાલપુરના ભગવાન જગદીશના મંદિરે જઈ મંગળા આરતી કરી
X

દેશના ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સવારે પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. તેઓ વહેલી સવારે જ જમાલપુરમાં આવેલા ભગવાન જગદીશના મંદિરમાં પહોંચી ગયા હતા તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં જોડાયા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="101771,101772,101773"]

ખૂબ જ ભાવપૂર્વક અમિત શાહે પોતાના ધર્મપત્ની સાથે આરતીની થાળી હાથમાં રાખી ભગવાન જગદીશની આરતી ઉતારી હતી છેલ્લા ઘણા વર્ષથી તેઓ રથયાત્રા શરૂ થાય તે પહેલા મંદિરની અંદર થતી મંગળા આરતી કરવા માટે પહોંચી જાય છે .વર્ષો જૂની આ પરંપરા અમિત શાહે આજે પણ જાળવી રાખી છે અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતી કરવા માટે આવવાના હોવાથી તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં મંદિરમાં આરતી કરવા માટે આવી ગયા હતા.

Next Story