Connect Gujarat
Featured

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 12 દિવસ પછી આવ્યો કોરોના રિપોર્ટ નેગેટિવ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 12 દિવસ પછી આવ્યો કોરોના રિપોર્ટ નેગેટિવ
X

હરિયાણની મેદાંતા હોસ્પિટલમાં 12 દિવસની સારવાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓને 2 ઓગસ્ટના રોજ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે તેમણે પોતે ટ્વીટ કરી જાણકારી આપી છે. અમિત શાહ 2જી ઓગસ્ટના રોજ સંક્રમિત થયાં. હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ થોડાં દિવસ તેઓ હોમ આઈસોલેશનમાં રહેશે.

હું ઈશ્વરનો આભાર માનું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપી મારા પરિવારજનોનો સાથ આપ્યો તે તમામનો હૃદયથી આભાર માનું છું. ડોક્ટર્સની સલાહ પર થોડાં દિવસ હોમ આઈસોલેશનમાં રહીશ તેમ તેમણે ટિવટ કરી જાણકારી આપી છે.

https://twitter.com/AmitShah/status/1294234328151416833

આ પહેલા 2જી ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહે પોતે સંક્રમિત થયાં હતા તેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. શાહ મેદાંતા હોસ્પિટલમાં એડમિટ થયાં હતા. કોરોનાના લક્ષણ જણાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.

Next Story