Connect Gujarat
ગુજરાત

એક સમયે આમલાખાડીનું પાણી પીવા માટે વપરાતું, હવે સતત બદલાતા રહે છે પાણીના રંગ

એક સમયે આમલાખાડીનું પાણી પીવા માટે વપરાતું, હવે સતત બદલાતા રહે છે પાણીના રંગ
X

સાંસદ અહેમદ પટેલનું ગામ પણ આમલાખાડીના કિનારે વસેલુ છે, હવે દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં થઈ સામેલ

અંકલેશ્વરની અતિ પ્રદૂષિત આમલા ખાડી હવે દેશની 9 પ્રદુષિત નદીમાં પણ સામેલ થઈ ગઈ છે. આ નદીનાં પાણીનાં રંગ સતત બદલતા રહે છે. આ એક માત્ર એવી નદી છે કે જેનું પાણી કાળા રંગનું છે. આ નદીમાં પાણી નહીં પણ ઝેરી પ્રદુષિત પાણી વહે છે. આસ પાસમાં આ નદીને કિનારે અનેક ગામો આવેલા છે. જેમાંથી એક ગામ ભરૂચનાં સાંસદ અહેમદ પટેલનું પણ છે.

આ નદીનું પાણી ગામના લોકો એક સમયે પીવા માટે વાપરતા હતા. આજે એવી પરિસ્થિતિ છે કે જોવા સુધ્ધાં પણ નજીક ના જવાય તેટલી માત્રામાં દુર્ગંધ આ પાણીમાંથી આવી રહી છે. ખૂદ રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ(એસટીપી)નું પાણી પણ આ જ ખાડીમાં જાય છે. તદ ઉપરાંત સ્ક્રેપનું વેચાણ કરતા ભંગારિયાઓ પણ ગોરકાયદેસર રીતે આ ખાડીમાં જ પોતાનો રસાયણિક કચરો ઠાલવે છે.

આમલા ખાડીની આસપાસ 4 જેટલાં ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. ત્યાંના પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પોતાનું રસાયણિક ઘનકચરાનું ગંદુ પાણી આ ખાડીમાં વરસાદની સિઝનમાં ગેરકાયદેસર રીતે છોડી મૂકે છે. અનેક વાર રજૂઆતો કરવા છતાં આજ સુધી આ કાડીની સફાઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. હવે ખૂદ જીપીસીબી પણ એવું માને છે કે આ ખાડી અતિ પ્રદૂષિત છે.

ગામના લોકો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે પણ આ નદીને સાફ કરવાના હુકમ રાજ્ય સરકારને આપ્યા છે. તો રાજ્ય સરકારનાં જુદા જુદા વિભાગોએ આ બાબતની બાંહેધરી પણ આપી હતી. પણ ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.

Next Story