Home > Featured > અમરેલી : બગસરામાં એક જ મહિનામાં 36 લોકોને “શ્વાન” કરડ્યા, લોકોમાં ફેલાયો ભયનો માહોલ
અમરેલી : બગસરામાં એક જ મહિનામાં 36 લોકોને “શ્વાન” કરડ્યા, લોકોમાં ફેલાયો ભયનો માહોલ
BY Connect Gujarat11 Nov 2020 12:59 PM GMT
X
Connect Gujarat11 Nov 2020 12:59 PM GMT
અમરેલી જીલ્લામાં શ્વાનોના ત્રાસથી દિવાળીના તહેવારો ટાંણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. બગસરાના શિવાજી ચોક એ બગસરાનો મુખ્ય માર્ગ માનવમાં આવે છે. જેમાં દુકાનો સાહિના અનેક રહેણાંક વિસ્તાર પણ આવ્યા છે, ત્યારે બગસરાના મુખ્ય માર્ગ ઉપર શ્વાનોના ત્રાસથી અવરજવર કરતાં રાહદારી, વાહનચાલકો તેમજ સ્થાનિક વેપારીઓમાં ભય ફેલાયો છે.
હાલ બગસરામાં છેલ્લા 30 દિવસમાં લગભગ 36 લોકોને શ્વાનોએ કરડતાં તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે હવે શ્વાન કરડે તો 4 ઇન્જેક્શન આપવામાં આવે છે, અને જો હડકાયું શ્વાન કરડે તો તેવા દર્દીઓને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે, ત્યારે હવે શ્વાનના ત્રાસથી બજારમાં વેપારી અને ગ્રાહકો પણ આવતા ડરે છે, ત્યારે રખડતાં શ્વાનને વહેલી તકે પકડવામાં આવે તેવી લોકોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે.
Next Story