Home > Featured > અમરેલી : લીલીયાના બજારોમાં ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત, ધારાસભ્યએ વિરોધ સાથે કર્યા ધરણા
અમરેલી : લીલીયાના બજારોમાં ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત, ધારાસભ્યએ વિરોધ સાથે કર્યા ધરણા
BY Connect Gujarat16 Sep 2020 11:06 AM GMT
X
Connect Gujarat16 Sep 2020 11:06 AM GMT
અમરેલી જિલ્લાના લીલીયા શહેરના બજારોમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો હતો, તો બીજી તરફ ધારાસભ્ય દ્વારા પણ વિરોધ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના લીલીયા શહેરના બજારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટરો અને તેમાથી આવતી અતિશય દુર્ગંધના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિવેડો નહીં આવતા પાલિકા પ્રત્યે લોકોમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે લીલીયા ખાતે લોકોએ બજારો સ્વયંભૂ બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે લીલીયા ગામમાં વર્ષોથી ગટરના પાણી ઉભરાવવાના પ્રશ્ને મામલતદાર કચેરી ખાતે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પણ ધરણા પ્રદર્શન યોજાયું હતું.
Next Story