અમરેલી : સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની “કમોસમી” એન્ટ્રી, ખેડૂતોમાં દોડધામ
BY Connect Gujarat21 March 2020 1:25 PM GMT
X
Connect Gujarat21 March 2020 1:25 PM GMT
વિશ્વભરમાં
ફેલાયેલા કોરોના વાયરસના કહેર વચ્ચે અમરેલીના સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની
એન્ટ્રી થતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી.
સમગ્ર વિશ્વ
કોરોના વાયરસ સામે લડત આપી રહયું છે ત્યારે કુદરત પણ હવે પડતા પર પાટુ મારી રહયું
હોય તેમ લાગી રહયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તેમજ આજુબાજુ આવેલા ગામોમાં
શનિવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સમી સાંજે કાળા ડીંબાગ
વાદળોની ફોજ ઉતરી આવતાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. વંડા, ભુવા, ખડકાળા, જુના સાવર, અમૃતવેલ અને મેલડી સહિતના ગામોમાં વરસાદી
ઝાપટા થયાં હતાં. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. કમોસમી વરસાદના
કારણે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી.
Next Story