Connect Gujarat
Featured

અમરેલી : હરિદ્વારની જાત્રા કરી પરત ફરતા મહંતને નડ્યો અકસ્માત, 4 વ્યક્તિના મોત

અમરેલી : હરિદ્વારની જાત્રા કરી પરત ફરતા મહંતને નડ્યો અકસ્માત, 4 વ્યક્તિના મોત
X

અમરેલી જિલ્લાના રાજુલા નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતની ઘટનામાં 4 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, રાજુલાના ચાંદલીયા ડુંગર નજીક આવેલા મામાદેવ મંદિરના મહંત મહારાજ લવકુશમુનીબાપુ અને અન્ય ત્રણ યાત્રિકો હરિદ્વારની જાત્રા કરી પોતાની અર્ટીગા કાર નં. GJ 14 AK 8656 લઈને પરત આવી રહ્યા હતા, તે દરમ્યાન વહેલી સવારે વાવેરા માર્ગ પર લવકુશમુનીબાપુને અચાનક ઝોંકું આવી જતાં તેમની કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. સમગ્ર બનાવમાં કારમાં સવાર લવકુશમુનીબાપુ સહિત 3 વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સમગ્ર અકસ્માતના બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી અન્ય ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતું. પરંતુ સદનસીબે હોસ્પિટલ પહોચતા પહેલા જ ઇજાગ્રસ્ત વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. હાલ તો રાજુલા પોલીસે પીપાવાવના રહેવાસી રૂડાભાઇ બાંભણીયા અને પુજાભાઈ સોલંકી, બાલાપરના રહેવાસી ઉનડબાપુ આહિર સહિત મામાદેવ મંદિરના મહંત લવકુશમુનિબાપુનું અકસ્માતમાં મોત નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story