Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: ટ્રેન નીચે પડતું મુકી માતાએ બે બાળકો સાથે ફાની દુનિયાને કહ્યું અલવિદા, ત્રણેવના મોત

અંકલેશ્વર: ટ્રેન નીચે પડતું મુકી માતાએ બે બાળકો સાથે ફાની દુનિયાને કહ્યું અલવિદા, ત્રણેવના મોત
X

માતા સહિત બે બાળકોને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓના પગલે સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

અંકલેશ્વર રેલવે સ્ટેશને ડાઉન ટ્રેક ઉપર એક મહિલાએ પોતાના બે બાળકો સાથે અચાનક જ પડતું મુકી ફાની દુનિયાને અલવિદા કહેતા અરેરાટી વ્યાપી હતી.જો કે આ મહિલાએ પોતાના બે બાળકો સાથે કયા કારણોસર આત્મહત્યા કરી એ કારણ હજુ અકબંધ છે. રેલવે પોલીસે આત્મહત્યા ગુનો નોંધી માતા સહિત બે બાળકોના મૃતદેહોને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

પ્રાપ્ત પોલીસ માહિતિ અનુસાર મુળ રહે. બુધવલ તા. મોરૂ જિ.ચિત્રકુટ (યુ.પી.) અને કામધંધા અર્થે હાલ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલિસ મથક પાસે આવેલ ગોકુલધામ સોસાયટીમાં મકાન નંબર ૧૦૫માં પરિવાર સાથે રહેતા શીવસીંગ અવધ બિહારી યાદવના ૨૮ વર્ષીય પત્ની સુરીદેવી યાદવ તથા પાંચ વર્ષીય પુત્ર કિષ્ણા અને ૩ વર્ષીય પુત્રી મનવી શીવસીંગ યાદવ સાથે અંકલેશ્વર રેલવે સ્ટેશનની દક્ષીણે ડાઉન લાઇન ઉપર ટ્રેન નં. ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્ષપ્રેસ ટ્રેનની નીચે પડતું મુકી આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ હતી.આ ઘટનાની જાણ રેલ્વે સુપ્રીટેન્ડટે રેલવે પોલીસને કરતા ભરૂચ રેલ્વે પોલીસને કરતા પોલીસે મૃતકોની લાસને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story