Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના આંબોલીગામની સિમના ખેતર માંથી મળી ઝાડ પર લટકતી યુવાનની લાસ!

અંકલેશ્વરના આંબોલીગામની સિમના ખેતર માંથી મળી ઝાડ પર લટકતી યુવાનની લાસ!
X

યુવાનની ઓળખ મેળવવા પોલીસે હાથધરી કવાયત

અંકલેશ્વરના આંબોલીગામની સીમના ખેતરમાં કોઇક યુવાનની ઝાડ ઉપર લટકેલ લાસ હોવાના સમાચારના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વરના આંબોલી ગામની સીમમાં જીલ્લા પંચાયત સભ્ય ઠાકોરભાઇ વસાવાના ખેતરમાં આવેલ એક બાવળના ઝાડની વચ્ચે લટકતી એક લાસ ત્યાં ભેંસો ચરાવવા ગયેલ ઇસમે જોતા તુરંત ઘટનાની જાણ તેણે ખેતર માલિક ઠાકોરભાઇને કરતા તેઓ તુરંત ત્યાં પોહચ્યા હતા અને આ ઘટનાની જાણ તેમણે અંકલેશ્વર શહેર પોલીસને પણ કરતા પોલીસ ટીમ પણ આંબોલી સીમમાં દોડી ગઈ હતી.

અંકલેશ્વર શહેર પોલીસે આંબોલી સીમમાં ઠાકોરભાઇના ખેતરમાં રહેલ એક બાવળના ઝાડની ડાળીઓની વચ્ચે એક ૨૫ થી ૩૦ વર્ષિય આશરાની ઉંમરનો યુવાન મરણ હાલતમાં જોતા પોલિસ પણ ચોંકી ઉઠી હતી. મરનાર યુવાનની લાસ ઉપર જીવડા પડ્યા હોય તેમજ અતિ દુર્ગંધ મારતી હોય પોલીસે ખુબજ કાળજી પૂરવ તેને નીચે ઉતારાવી તેનામોતનું ચોક્કસ કારણ પી.એમ. અર્થે રવાના કરી હતી.

હાલમાં તો પોલીસે આ મરનાર યુવાન કોણ હતો?અહીં કેવી રીતે આવ્યો ? તેમજ બાવળના ઝાડ ઉપર કેવી રીતે લટક્યો ? તેની હત્યા છે કે આત્મહત્યા વિગેરે સવાલોના જવાબ મેળવવા તેમજ તેના વાલિવારસની શોધ આરંભી છે.

Next Story