અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરાયું
BY Connect Gujarat4 Aug 2018 11:09 AM GMT
X
Connect Gujarat4 Aug 2018 11:09 AM GMT
પોલીસ વિભાગનાં પોલીસ કર્મીઓએ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
રાજ્ય સરકારના 69મા વનમહોત્સવ ઉજવણીના ભાગ રૂપે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા પોલીસ મથકોમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ કર્મીઓ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા રાજ્ય સરકારનાં વનમહોત્સવની ઉજવણીના ભાગ રૂપે શહેરમાં આવેલી પોલીસ લાઈન તેમજ તાલુકા પોલીસ મથક અને જીઆઇડીસી પોલીસ મથક ખાતે ડીવાયએસપી એલ,એ,ઝાલા ની ઉપસ્થિતિમાં તેમજ શહેર, તાલુકા અને જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ તથા પોલીસ કર્મીઓએ વૃક્ષા રોપણ કર્યું હતું
Next Story