Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર વાલિયાનાં મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકોને હાલાકી !

અંકલેશ્વર વાલિયાનાં મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકોને હાલાકી !
X

ભુવો પડવાનાં પગલે ટ્રાફિકની સમસ્યા સર્જાય

અંકલેશ્વર વાલિયા રોડ અડીને આવેલ જલદર્શન સોસાયટી પાસે ભુવો પડતા વાહન ચાલકો અટવાય ગયા હતા.

અંકલેશ્વર વાલિયા રોડ મહારાષ્ટ્ર તરફ જવા માટેનો કદી રૂપ માર્ગ બની ગયો છે.અને આ માર્ગ ભારે વાહનો થી ધમધમતો રહે છે. જે માર્ગ પર જીઆઇડીસીની અને ભડકોદ્રા ગામ પાસે આવેલ જલદર્શન સોસાયટી નજીક ભુવો પડયો હતો.

જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી,અને સવારનાં નોકરીયાત વર્ગે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.અને માર્ગ અને મકાન વિભાગ આ અંગે ત્વરિત પગલા ભરે એવી લોક માંગ ઉઠવા પામી હતી.આ ઉપરાંત માર્ગ પરનું નાળુ પણ જોખમી બની ગયુ છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરની સુચનાઓ હતી કે માર્ગો પર પડેલા ખાડાઓને યોગ્ય રીતે પુરી દેવા પરંતુ માર્ગ અને મકાન વિભાગ ઉંઘતુ હોવાની લાગણી લોકોએ વ્યક્ત કરી હતી કારણે કે કાપોદ્રા પાટિયા વિસ્તારમાં તેમજ જયાબેન મોદી હોસ્પિટલનાં મુખ્ય માર્ગ ઉપર ખાડાઓ વરસાદ બાદ પડયા છે માર્ગનું પણ યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નહોવાની વાહન ચાલકોએ ફરિયાદો કરી હતી.

Next Story