અંકલેશ્વર: હરિ દર્શન સોસાયટીમાં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીયા
તસ્કરો રોકડ રકમ,ટીવી અને વીસીઆર ની ચોરી કરી ફરાર
શહેર પોલીસે તપાસ હાથ ધરી
અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં હરિ દર્શન સોસાયટીમાં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીયા હતા તસ્કરો રોકડ રકમ ટીવી અને વીસીઆરની ચોરી કરી ફરાર થઇ જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે
અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ હરીદર્શન સોસાયટીમાં મકાન નંબર એ-૨૩ માં રહેતા જયેશભાઇ શુક્લ ૧૪ મીના રોજ મકાન બંધ કરી બહારગામ ગયા હતા તે દરમ્યાન તસ્કરો એ તેમના મકાન ને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી સામાન વેરવિખેર કરી રોકડ રકમ, ટીવી તેમજ વીસીઆર ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
જયેશ ભાઈ શુક્લ પરત ફરતા ઘર માં જોતાતિજોરી તૂટેલી અને સામાન વેરવિખેર પડ્યો હતો તેઓએ તપાસ કરતા રોકડ રકમ ,ટીવી તેમજ વીસીઆર ગાયબ જણાતા ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી તપાસ હાથ ધરી હતી. આ અંગે જયેશ શુક્લએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.