Connect Gujarat
Featured

અંકલેશ્વર : હવેલી ફળિયામાં વૃક્ષ ધરાશાયી થઈ મકાન પર પડ્યું, પરીવારનો આબાદ બચાવ

અંકલેશ્વર : હવેલી ફળિયામાં વૃક્ષ ધરાશાયી થઈ મકાન પર પડ્યું, પરીવારનો આબાદ બચાવ
X

અંકલેશ્વર શહેરમાં હવેલી ફળીયામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વચ્ચે વર્ષો જૂનું વડનું ઝાડ અચાનક ધરાશાયી થઇ મકાન પર પડ્યું હતું. વૃક્ષ પડતા મકાનના ઉપરના માળને તેમજ રીક્ષાને નુકશાન થવા પામ્યું હતું. જો કે મકાન માલીક સહીત પરિવારનો આબાદ બચાવ થયો હતો.

અંકલેશ્વરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે હવેલી ફળીયામાં જૂનું વડનું ઝાડ અચાનક ધરાશય થયું હતું. કડાકા સાથે ઝાડ ધરાશાય થતા નજીક આવેલ આશીફ શેખના મકાન ઉપર પડતા ફળીયાના રહીશો જાગી ગયા હતા અને આશીફ શેખને જગાડ્યા હતા. તેઓએ તાત્કાલીક પરિવાર સાથે મકાનની બહાર નીકળી જતા કોઈ જાનહાની થવા પામી ન હતી. જો કે તેઓએ તેમના મકાન પાસે પાર્ક કરેલ રીક્ષાને નુકશાન થયું હતું. આ ઘટના સંદર્ભે આશીફ શેખે નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકાનો સ્ટાફ દોડી આવી ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી છે.

Next Story