અંકલેશ્વર : આમલાખાડી પાસે દારૂની રેલમછેલ, જુઓ શું છે ઘટના
BY Connect Gujarat18 March 2020 11:37 AM GMT
X
Connect Gujarat18 March 2020 11:37 AM GMT
અંકલેશ્વરની આમલાખાડી પાસે 51 લાખ રૂપિયા ઉપરાંતની કિમંતના દારૂના જથ્થાનો રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં રાજયમાંથી રોજ લાખો રૂપિયાનો દેશી તથા વિદેશ દારૂ ઝડપાતો હોય છે. અંકલેશ્વર શહેર, ગ્રામ્ય તથા જીઆઇડીસી પોલીસ સ્ટેશન તરફથી અનેક કેસોમાં દારૂનો જથ્થો કબજે લેવાયો હતો. આ જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજુરી મળી હતી. બુધવારના રોજ આમલાખાડી નજીક ત્રણેય પોલીસ સ્ટેશનમાં મુદામાલ તરીકે કબજે લેવાયેલી 33 હજાર જેટલી બોટલોનો રોલર ફેરવીને નાશ કરી દેવાયો હતો. અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા અને ડીવાયએસપી ભોજાણી સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરી દેવાયો હતો. નાશ કરાયેલા દારૂના જથ્થાની કિમંત 51 લાખ રૂપિયા ઉપરાંત થવા જાય છે.
Next Story