Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ચાર વાહનો વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત, એકનું મોત

અંકલેશ્વરઃ ચાર વાહનો વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત, એકનું મોત
X

કાર, રિક્ષા અને બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા

ભરૂચ-અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર આજરોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું. તો અન્ય 5 લોકોને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચથી અંકલેશ્વર તરફ આતાં ગોલ્ડ બ્રિજ પાસે છાપરા પાટીયા નજીક આજરોજ રીક્ષા, બે બાઈક અને કાર વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ચાર વાહનો વચ્ચે સર્જાયેલા આકસ્માતનાં પગલે એક તબક્કે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં એક વ્યક્તિનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું જ્યારે પાંચ જેટલાં લોકોને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Next Story