Connect Gujarat
Featured

અંકલેશ્વર : ઘરફોડ ચોરીના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

અંકલેશ્વર : ઘરફોડ ચોરીના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો
X

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છ મહિનાથી નાસતા ફરતાં આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

ભરૂચ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતા આરોપી મહાદેવ તિવારી વિશે બાતમી મળી હતી. આરોપી ઘણી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી અંકલેશ્વર તાલુકાના બાકરોલ ઓવર બ્રિજ નીચે આવેલી ચોકડી ઉપર આવવાનો છે. તેવી મળેલી બાતમીના આધારે એલસીબીની પોલીસ ની ટીમે વોચ ગોઠવી હતી. વોન્ટેડ આરોપી લલન મહાદેવ રતન તિવારી હાલ રહે સંજાલી ગામ માજીદ કોલોની અને મૂળ ઉત્તરપ્રદેશનાઓને ઝડપી પાડયો હતો. આરોપીને વધુ તપાસ માટે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

Next Story