અંકલેશ્વરઃ બાકરોલ બ્રિજ ઉપર એસટી બસ ટ્રકમાં ભટકાઈ, 3 મુસાફરો ઈજાગ્રસ્ત
BY Connect Gujarat27 Sep 2018 5:57 AM GMT
X
Connect Gujarat27 Sep 2018 5:57 AM GMT
સુરતથી હારીજ તરફ જઈ રહેલી બસ આગળ ચાલતી ટ્રકમાં ભટકાતાં ડિવાઈડર ઉપર ચઢી ગઈ
અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર બાકરોલ બ્રિજ ઉપર ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 મુસાફરોને ઇજા પહોંચી હતી.
અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપરથી આજરોજ સુરત થી હારીજ તરફ જઈ રહેલી એસટી બસ નંબર જીજે-18 ઝેડ-2201 મુસાફરો લઈને પસાર થઈ રહી હતી. દરમિયાન બાકરોલ બ્રિજ પાસે પહોંચતાં આગળ ચાલી રહેલી ટ્રક નંબર જીજે- 15, યુયુ- 615નાં પાછળનાં ભાગે ભટકાયી હતી. જેના પગલે એસ.ટી. બસ ડિવાઈડર ઉપર ચઢી જતાં બસમાં સવાર મુસાફરોએ બુમાબુમ કરી મૂકી હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 3 લોકોને ઈજા પહોંચી હતી.
Next Story