Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ જન્મ દિવસની ઉજવણી માટે થઈ છે અનોખી પહેલ, સમાજને ચીંઘ્યો નવો રાહ

અંકલેશ્વરઃ જન્મ દિવસની ઉજવણી માટે થઈ છે અનોખી પહેલ, સમાજને ચીંઘ્યો નવો રાહ
X

અંકલેશ્વરમાં વિવિધ માધ્યમ જગત સાથે સંકળાયેલા પત્રકારો પોતાના જન્મદિવસે વૃક્ષારોપણ કરશે તેવું નક્કિ કરાયું

અંકલેશ્વર શહેરમાં વિવિધ માધ્યમ જગત સાથે સંકળાયેલા પત્રકાર મિત્રોએ હવે નવો ચીલો ચાતર્યો છે. પર્યાવરણના હિતમાં અંકલેશ્વરના પત્રકારોએ પોતાના જન્મદીને વૃક્ષ વાવવાનું નક્કી કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="65440,65441,65442,65443,65444,65445,65446,65447,65448,65449,65450"]

આ કાર્યક્રમનાં ભાગરૂપે આજરોજ હર્ષદ મિસ્ત્રીનાં જન્મ દિવસ નિમિત્તે જવાહર ગાર્ડનની સામે આવેલા સિનિયર સીટીઝન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી પત્રકારોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. આ તબક્કે એવું નક્કિ કરવામાં આવ્યું છે કે, અંકલેશ્વરના કોઈપણ પત્રકારનો જન્મદિન હોય તો તેની પણ આ જ રીતે ઉજવણી કરવી.

Next Story