Connect Gujarat
Featured

અંકલેશ્વર: સુપ્રસિધ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે રક્તદાનશિબિર યોજાઇ

અંકલેશ્વર: સુપ્રસિધ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે રક્તદાનશિબિર યોજાઇ
X

અંકલેશ્વર હાસોટ રોડ પર આવેલ સુપ્રસિધ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે રવિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ, ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. ક્ષિપ્રા ગણેશ મંદિરના આઠમા પાટોત્સવ નિમિત્તે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરનો પ્રારંભ ભાજપાના ફાલ્ગુનીબહેન પટેલ, કુમારપાળ ગાંધી બ્લડ બેંકના ડો. આશિષ મોદી, ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય થકી કરવામાં આવ્યો. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સેવા કાર્ય કર્યું હતું.તારીખ 19 જાન્યુઆરીના રોજ મંદિરના પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ સહિતના કાર્યક્રમો યોજાશે. આ વર્ષે કોરોના મહામારીના કારણે લોક ડાયરો અને ભંડારા સહિતના કાર્યક્રમો રદ્દ રાખવામાં આવ્યા છે.

Next Story