Connect Gujarat
Featured

અંકલેશ્વર: કોંગ્રેસનાં જહાંગીર પઠાણને ટિકિટ માટે આત્મવિશ્વાસ કે પક્ષ પર દબાણ? મેન્ડેટ મળે એ પૂર્વે જ ભર્યું ઉમેદવારીપત્ર

અંકલેશ્વર: કોંગ્રેસનાં જહાંગીર પઠાણને ટિકિટ માટે આત્મવિશ્વાસ કે પક્ષ પર દબાણ? મેન્ડેટ મળે એ પૂર્વે જ ભર્યું ઉમેદવારીપત્ર
X

ભરૂચ જીલ્લામાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરી દીધા ચ્હે પરંતુ કોંગ્રેસ હજુ અવઢવમાં છે પરંતુ અંકલેશ્વર કોંગ્રેસના એક નેતાને એટલો અતિ આત્મવિશ્વાસ છે કે તેમણે મેન્ડેટ મળે એ પૂર્વે જ પેનલ સાથે ઉમેદવારી પત્ર ભરી દીધું હતું.

સ્થાની સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોના નામની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને કહી ખુશી કહી ગમનો માહોલ છે પરંતુ કોંગ્રેસ હજુ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકી નથી જો કે અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ નગર સેવક જહાંગીર પઠાણે આજરોજ વોર્ડ નંબર આઠમાંથી ઉમેદવારી પત્ર ભરી દીધું હતું. કોંગ્રેસ દ્વારા હજુ તેમને મેન્ડેટ આપવામાં આવ્યો નથી ત્યારે જહાંગીર પઠાણનો આત્મવિશ્વાસ છે કે પછી ટિકિટ માટે પક્ષ પર દબાણ એ આવનાર સમય બતાવશે. જહાંગીર પઠાણે જાતે એકલાએ જ ઉમેદવારી પત્ર ભર્યું હોય એવું નથી તેમણે તેમની સાથે આખેઆખી પેનલને પણ ઉમેદવારી પત્ર ભરાવી દીધા હતા.જહાંગીર પઠાણે પક્ષના આદેશની પણ રાહ જોયા વિના ઉમેદવારી પત્ર ભરી દીધું હતું અને જીતનો દાવો પણ કરી દીધો હતો ત્યારે કોંગ્રેસ જહાંગીર પઠાણને ટિકિટ આપે છે કે કાપે છે એ જોવું રહ્યું.

Next Story